મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેની માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપુત (26) નામનો યુવાન કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પહેલા માળે હતો ત્યારે પાળી ઉપરથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજથયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ પ્રભુભાઈ કાવર (37) રહે. લાલપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે

મોબાઈલ ફોનની ચોરી

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ કડિયા શેરીમાંથી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ગ્રીન ચોક નજીક આવેલ કડિયાવાસમાં રહેતા સફીમોહમ્મદ ઈદ્રીશભાઈ ગુર્જર (29) ના મોબાઈલ ફોનની રાહિલ રહે. બિહાર વાળાએ ચોરી કરી છે જેથી કરીને સેમસંગ કંપનીનો 13,500 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કર્યો હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહીલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News