મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ વાડીમાંથી બે બાળકોનું અપહરણ કરનાર મહિલા આરોપીની ધરપકડ: બંને બાળકો હેમખેમ વાલીને સોંપ્યા


SHARE











ટંકારાના નેકનામ વાડીમાંથી બે બાળકોનું અપહરણ કરનાર મહિલા આરોપીની ધરપકડ: બંને બાળકો હેમખેમ વાલીને સોંપ્યા

ટંકારા તાલુકાનાં નેકનામ ગામની સીમમાં આવેલ વાડીએથી બે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની ટંકારા તાલુકા પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈને બાળકોને શોધવા અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બંને બાળકો હેમખેમ મળી આવેલ છે અને મહિલા આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નેકનામ ગામે રહેતા ફરીયાદી કેશરભાઇ જેઠાભાઇ બારીઆ જાતે કોળી (23)એ ગઇકાલ તા.૧16/12 ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં આવીને નેકનામ ગામની સીમમાં આવેલ કાંતીભાઇ પટેલની વાડીએથી તેના દીકરા હાર્દિક (3) અને વૈભવ (1.5) વાળાને વાડીની ઓરડી પાસે રમતા હતાં ત્યારે ત્યાંથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા તે બન્ને બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા અને બાળકોને શોધવા તજવીજ શરૂ કરી હતી.

ટંકારા સ્થાનિક પોલીસે અને વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તેમજ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેઝ તથા હયુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ, મીતાણા તથા વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તા.17/12 ના રોજ અપહરણ થનાર બંન્ને માસુમ બાળકો શોધી કાઢવામાં આવેલ છે, અને અપહરણ કરનાર મહિલા આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે. આ કામગીરી ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, ટંકારાના પીઆઇ એસ.કે.ચારેલ તેમજ પીએસઆઇ એમ.જે.ધાધલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. 






Latest News