મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના શ્રી થરી માહેશ્વરી સમાજ દ્વારા સર્વેપિતૃ મોક્ષાર્થે તા.૬-૧૧ ને શનિવારથી વૃંદાવન ધામ શક્તિ પ્લોટ મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પુ. રણછોડભાઈ આચાર્ય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી ચાલશે.ભાગવત સપ્તાહ દરમિયાન ગોવર્ધન પૂજા, નૃસિંહ અવતાર સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આવતી કાલ તા. ૧૧-૧૧-૨૧ ના રોજ ગુરૂવારે સાંજે અમિત ભરતભાઈ આસનાની અને માનસીબેન પ્રદીપભાઈ કેલાના શુભલગ્ન યોજાનાર છે.તદ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેવા ભજન સંધ્યા, મહિલા મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી.તા.૧૦ ના રોજ પ્રેમલ દફતરીની સંગીત સંધ્યા યોજાશે અને તા.૧૧ ના રોજ ભાવનગરના કલાકાર ધરમ વંકાણી દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાનાર છે તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News