મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના શ્રી થરી માહેશ્વરી સમાજ દ્વારા સર્વેપિતૃ મોક્ષાર્થે તા.૬-૧૧ ને શનિવારથી વૃંદાવન ધામ શક્તિ પ્લોટ મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પુ. રણછોડભાઈ આચાર્ય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી ચાલશે.ભાગવત સપ્તાહ દરમિયાન ગોવર્ધન પૂજા, નૃસિંહ અવતાર સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આવતી કાલ તા. ૧૧-૧૧-૨૧ ના રોજ ગુરૂવારે સાંજે અમિત ભરતભાઈ આસનાની અને માનસીબેન પ્રદીપભાઈ કેલાના શુભલગ્ન યોજાનાર છે.તદ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેવા ભજન સંધ્યા, મહિલા મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી.તા.૧૦ ના રોજ પ્રેમલ દફતરીની સંગીત સંધ્યા યોજાશે અને તા.૧૧ ના રોજ ભાવનગરના કલાકાર ધરમ વંકાણી દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાનાર છે તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News