સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો


SHARE











ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો 

ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો નોંધાયેલ હતો જેમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને બંને શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો વર્ષ 1998 માં નોંધાયેલ હતો જે ગુનામા મોરબીમા રહેતા ભાવિન શુકલ તથા અમદાવાદના રહીમખાન જમાલખાન નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ટંકારા પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. આ લુટ તથા ધાડનો કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ સાહેદો તથા પુરાવાઓ તપાસવામા આવ્યા હતા અને સરકારી વકીલ તથા આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે બંને આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કામે આરોપી તરફથી મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News