મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ નજીક બે કારખાનામા ગેરકાયદે પાણીના કનેક્શન લઈને પાણીચોરી


SHARE











ટંકારાના નેકનામ નજીક બે કારખાનામા ગેરકાયદે પાણીના કનેક્શન લઈને પાણીચોરી

ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસેથી પસાર થતી બેડીથી જોધપર ઝાલા ગામ તરફની જૂથ યોજનાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરવામાં આવતી હતી તેમજ પાણીનો બગાડ કરતાં હતા જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા બે કારખાનેદારની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા કોન્ટ્રાક્ટર ચિરાગભાઈ પ્રભુભાઈ કામરીયા (35)એ હાલમાં શુભ એન્ટરપ્રાઇઝ કારખાનુ અને એડન પોલિપેક કારખાનાના જવાબદાર વ્યક્તિઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસે જીઇબીના સબ સ્ટેશન પાસેથી ટંકારા જૂથ યોજનાની બેડી થી જોધપર ઝાલા જતી 200 એમએમ પીવીસીની પાણીની પાઇપ લાઇનમાં ગેરકાયદેસર રીતે ભંગાર કરીને પાણીની ચોરી અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો અને આ લાઈનની મરામત અને નિભાવની કામગીરી શ્યામ કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ છે જેથી હાલમાં કોન્ટ્રાક્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાણી ચોરી કરી રહેલા બે કારખાનદારોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ આર.એન, કંઝારીયા ચલાવી રહ્યા છે.






Latest News