મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !


SHARE











વાંકાનેરના પીઆઇ ઉપર થયેલ હુમલા પછી લોકોની સલામતિને લઈને અનેક સવાલ !

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેર પી.આઈ. પર વાંકાનેર તાલુકાનાં ખાંભાળા પાસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે અને પ્રજાની સુરક્ષા ની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર જ ખુદ સલામત નથી! તેવો ઘાટ જોવા મળ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી.જી.સરવૈયા અને તેની ટીમ વાંકાનેર તાલુકાનાં ખાંભાળા ગામે કોઈ બાબતની તપાસ અર્થે ગયા હોય કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર પી.આઈ. બી.જી. સરવૈયા અને અન્ય એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં પી.આઈ.ને માથાનાં ભાગે ઈજા પહોંચી હોય વાંકાનેરની પીરમશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જોકે આ બાબતે કવરેજ માટે પહોંચેલા પત્રકારોને ઈજાગ્રસ્ત પી.આઈ.ની તસવીરો લેવા ન દેવાઈ હતી અને કઈ જ બનાવ ન બન્યો હોય તેમ કોઈ વિગત પણ આપવામાં આવી ન હતી ત્યારે વાંકાનેર પંથકમાં હવે પોલીસ અધિકારીઓ પણ સલામત નથી તો આમ પ્રજાની સલામતિનું શું? તેવી દહેશત સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં.






Latest News