મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ


SHARE











ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના બંગાવડી સિંચાઈ કેસમાં ચુકાદો આપવામાં આવેલ છે જેમાં ૮૮ આરોપી શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ ટંકારા પોલીસ મથકે ૮૮ ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. 

ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ આઇપીએસ કલમ ૪૩૦ તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૩૭ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ કલમ ૪૩૭ મુજબ ૧૦ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ૧૪ મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા ૧ ફરીયાદી ૮ સાહેદ ૪ પંચ સાહેદ ૧ ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ.જી. શેખ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. અને આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.






Latest News