ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો


SHARE











મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો

મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહીને કારખાનાની અંદર મજૂરી કામ કરતા મૂળ પાટણના પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું.જે સંદર્ભમાં ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ દરમિયાન એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા આરોપીની મહેસાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવની મોરબી તાલુકા પોલીસ સુત્રો તેમજ એસસીએસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ પાટણના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જે અંગે થોડા દિવસો પહેલા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોકસો, એટ્રોસિટી, અપહરણ તેમજ દુષ્કર્મ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.બનાવના થોડા દિવસો બાદ ભોગ બનેલ સગીરા તેના પરિવારજનોને સોંપી આપવામાં આવી હતી.હાલમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ગુનામાં વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલા (ઉંમર ૨૩) રહે.ધુમાસણ તા.કડી જી.મહેસાણાની ધરપકડ કરેલ છે.ભોગ બનેલ પરિવાર પણ મહેસાણાના પાટણનો વતની છે અને ત્યાંથી સંપર્કમાં આવ્યા બાદ સગીરા પરિવાર સાથે હાલ મોરબી રહીને મજૂરી કામ કરતી હોય અહીં મોરબી ખાતેથી તેણીનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.હાલ વનરાજસિંહ ઝાલાની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.






Latest News