ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ


SHARE











ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના બંગાવડી સિંચાઈ કેસમાં ચુકાદો આપવામાં આવેલ છે જેમાં ૮૮ આરોપી શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ ટંકારા પોલીસ મથકે ૮૮ ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. 

ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ આઇપીએસ કલમ ૪૩૦ તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૩૭ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ કલમ ૪૩૭ મુજબ ૧૦ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ૧૪ મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા ૧ ફરીયાદી ૮ સાહેદ ૪ પંચ સાહેદ ૧ ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ.જી. શેખ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. અને આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.






Latest News