મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાથી વતનમાં જવાની મોટા ભાઈએ ના પડતાં યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











ટંકારાથી વતનમાં જવાની મોટા ભાઈએ ના પડતાં યુવાને ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને ઓરડીની અંદર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને વતનમાં જવું હોય મોટાભાઈએ વતનમાં લેવાની ના પાડતા લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે મેગાડોટ પોલીપેક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુમનકુમાર સીતારામ મંડલ (૨૫) નામના યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ એસ.બી. સીદીકી દ્વારા કરવામાં આવેલ હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન અને તેના બે ભાઈ અહીંયા કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરે છે જોકે મૃતક યુવાનને વતનમાં જવું હોય તેના ભાઈએ હમણાં વતનમાં જવાની ના પાડતા તે બાબતે લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News