મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો


SHARE











વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો

મકાન પચાવી પાડવા ડખ્ખો કરતા હોવાનો આક્ષેપ, અગાઉ આ બાબતે ઝઘડો થયેલો, જેની અદાવતમાં બનાવ બન્યો : ઇજાગ્રસ્ત ગિરિરાજસિંહ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
વાંકાનેરના આરોગ્ય નગરમાં યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવકનું મકાન પચાવી પાડવા બાબતે બંને શખ્સોએ બે વર્ષ પહેલા પણ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈ કાલે ઉશ્કેરાઈ જઈને બંને શખ્સોએ ગિરિરાજસિંહ સાથે ઝગડો કરી ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતો ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.37) નામનો યુવક ગઈ કાલે પોતાનાં ઘર પાસે હતો. ત્યારે યોગેન્દ્ર અને નરવીને અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી ગિરિરાજસિંહની બાજુમાં જ રહે છે.
યોગેન્દ્ર અને નરવીનને ગિરિરાજસિંહનું મકાન પચાવી પાડવું છે. માટે વારંવાર માથાકૂટ કરતાં હતાં. યુવકને બે વર્ષ પહેલા પણ યોગેન્દ્ર અને નરવીન સાથે મકાન બાબતે ઝઘડો થયો હતો. ગઈ કાલે મકાન બાબતનો ખાર રાખી બંને શખ્સોએ યુવકને માર મારી નાસી ગયાનું પરીવારજનોએ જણાવ્યું હતો.હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક વાંકાનેર ટોલનાકામાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





Latest News