મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી


SHARE











આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં આજે દેશના વડાપ્રધાન વર્ચ્યુલ જોડાયા હતા અને તેમણે આર્ય સમાજની જે સંસ્થાઓ છે તેના વિદ્યાર્થીઓને "માય ભારત" સાથે જોડવા માટે આહવાન કર્યું હતું તેમજ આર્ય સમાજની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માંથી ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમને મતદાર કાર્ડ બનાવવા માટે થઈને આહવાન કર્યું હતું

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ જોડાયા હતા અને તેમના દ્વારા ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આઝાદી માટે જે ચળવળ ચાલી હતી તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ના યોગદાન ને યાદ કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં જ્યારે વિકસિત ભારત સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ ની ઉજવણી એ કાલ ખંડમાં ચાલી રહી છે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો દેશના દરેક સામાજિક કાર્યોમાં લોકોને જોડવા માટે નું કામ કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાગણી વ્યક્ત કરી હતી અને સ્વચ્છ ભારત મિશન વિકસિત ભારત સહિતની જે કામગીરી વર્તમાન સમયમાં થઈ રહી છે તેમાં પણ આર્ય સમાજનું અમૂલ્ય યોગદાન છે અને આર્ય સમાજની જુદીજુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતના વિકાસમાં આર્ય સમાજની વિચારધારા સાથે યોગદાન આપશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ટંકારા નજીક બની રહેલ આર્ય સમાજના ગુરુકુળ માટે શુભકામનાઓ પાઠવી હતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં સ્વામી દયાનંદજી વિશે વર્તમાન પેઢી જાણે અને તેના જીવન કવનને પોતાના જીવનમાં ચરિતર્થ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News