મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે તૈયારીનો ધમધમાટ, પ્રાચીન ગરબી મંડળો માઁ નવદુર્ગાની આરાધના માટે સજ્જ


SHARE











વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે તૈયારીનો ધમધમાટ, પ્રાચીન ગરબી મંડળો માઁ નવદુર્ગાની આરાધના માટે સજ્જ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં નવરાત્રિની ઉજવણી માટે વિવિધ પ્રાચીન ગરબી મંડળો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, નવ નવ દિવસ માઁ નવદુર્ગાની આરાધના કરવા આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી દરેક તહેવારોની ઉજવણી બંધ રહી હતી. ત્યારે હવે કોરોના સંકટ હળવું થતાં રાજ્ય સરકાર દ્વારા પણ ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવાની છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે નવરાત્રિમાં માત્ર પ્રાચીન ગરબી મંડળોને ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવતાં ગરબી મંડળોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ નાની બાલિકાઓ પણ ખુશ ખુશાલ થઈ છે. ત્યારે વાંકાનેરમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા શહેરનાં ટાઉનહોલ ખાતે પ્રાચીન ગરબી મંડળ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.આ ઉપરાંત માર્કેટચોક ખાતે આશાપુરા ગરબી મંડળ, પ્રતાપચોક ગરબી, રામચોક ગરબી, કૃષ્ણ ગરબી સહિત શહેરનાં જીનપરા, નવાપરા, વીશીપરા સહિતનાં વિસ્તારોમાં ૧૮ થી વધુ પ્રાચીન ગરબી મંડળો દ્વારા રાસ ગરબાની રમઝટ જામશે. છેલ્લા બે વર્ષથી તહેવારો બંધ રહ્યા હોય આ સાલ નવરાત્રિની ઉજવણીમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માત્ર પ્રાચીન ગરબી મંડળોને જ છૂટછાટ આપવામાં આવી હોય કોમર્શિયલ રાસ ગરબાનાં આયોજનો યોજી શકાશે નહીં તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.






Latest News