મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામેથી ગુમ થયેલ યુવતીની કૂવામાંથી લાશ મળી


SHARE











ટંકારાના અમરાપર ગામેથી ગુમ થયેલ યુવતીની કૂવામાંથી લાશ મળી

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા અમરાપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની યુવતી છેલ્લા બે દિવસથી ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે વાડીમાં તે કામ કરતા હતા તેની બાજુની વાડીના કૂવામાંથી તે યુવતીની લાશ મળી આવી છે જેથી કરીને ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટમાં લઈ જવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ઉમરબેડ ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર ગામે યુનુસભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ફોડારીયાભાઈ તોકડિયાની દીકરી બાયલીબેન (૧૭) છેલ્લા બે દિવસથી વાડીએથી ગુમ થઈ ગઈ હતી અને તેને શોધવા માટે પરિવારના સભ્યો સહિતના તજવીજ કરી રહયા હતા દરમિયાન જે વાડીમાં તે લોકો કામ કરતા હતા તેની બાજુમાં હુસેનભાઇ બાદીની વાડી આવેલ છે જેના કૂવામાંથી બાયલીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ કરતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે






Latest News