મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











 

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખોઝાખાના પાસે રહેતા વૃદ્ધ વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા (૬૦) ગત તા. ૧૫/૬ ના રોજ બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે વાવાઝોડાના કારણે તેઓ પડી ગયા હતા અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને રાજકોટ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે






Latest News