મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે અને વાંકાનેરના પાડધરામાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદ તાલુકામાં બે અને વાંકાનેરના પાડધરામાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળદર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અલગ અલગ બે જગ્યાઓ પર કેનલના પાણીમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નીપજયાં હતા તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજયું હતું આમ પાણીમાં ડૂબી જવાના લીધે જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત નિપજતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા (૪૫) નો મૃતદેહ હળવદ તાલુકાનાં રણમલપુર અને ઘણાદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મળી આવ્યો હતો જેથી કરીને કેનાલના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી

જ્યારે બીજા બનાવમાં હળવદમાં હરીદર્શન હોટલ પાછળના ભાગમાં આવેલ નર્મદા કેનાલના ચાલુ પ્રવાહમાં દીપકભાઈ રમેશભાઈ માનકર જાતે આદિવાસી ભીલ (૨૩) રહે મૂળ એમપી હાલ રહે. હરીદર્શન હોટલની પાછળ વાળો ન્હાવા માટે પડ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા તે કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તેની ડેડબોડી કેનાલના પાણીમાંથી મળી આવતા આ બનાવ અંગેની દિલીપભાઈ દુરજીભાઈ તળવી જાતે આદિવાસી (૩૪) રહે. મૂળ એમપી હાલ રહે હરીદર્શન હોટલ પાછળ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

તો વાંકાનેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ (૧૮) નામનો યુવાન વાંકાનેર તાલુકાના પાડધરા ગામેથી પસાર થતી નદીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાં તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News