મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE











ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા જોગ આશ્રમ ખાતે તા. ૧/૫ ને સોમવારે ધ્યાનશંકર મુક્તિ નારાયણ જોગ બાપુની ૪૬મી સમાધી તિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

સૈકાઓથી જપ-તપની ધરા રહેલી અને અનેકોનેક ઈતિહાસને સાચવીને બેઠેલી આદી અનાદિ પુર્વેની ઢંકપુર નગરી જ્યાં ચોંકાવનારી ચમત્કારિક ૪૬ જોગણીની ધટના બાદ લજાઈ ગામથી ખ્યાતનામ બનેલી જગ્યાએ હાલ જોગ આશ્રમ આવેલ છે. જ્યાં પરમ પૂજ્ય અને મોરબીવાસીના શ્રદ્ધેય સંત તરીકે સ્થાન પામેલ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) અહી એકાદ દશકા તપસ્યા કરી સ્થાનને પાવન કરી ગયા હતાં

 

જેમની સમાધી તિથિ તા.૧/૫ ને સોમવારે જોગ આશ્રમ લજાઈ ખાતે નવનિર્માણ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધી કાર્યક્રમ જેવા કે, મહાત્માનું ધ્યાનધરી પુજન અર્ચન આરતી તેમજ નકલંકધામ મંડળ-બગથરા દ્વારા સંપુટ ધૂન સંપુટ રામાયણ, રામાયણ અને સુંદરકાંડ, વીરપર મંડળ દ્વારા અખંડ ધૂન અને સાંજે ૬ કલાકે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ-૨ ડેમનુ નવ નિર્માણ કાર્ય ૧૯૬૫ મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં ૧૨ વર્ષ એટલે કે, ૧૯૭૭ સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમીની પસંદગી કરતા લજાઈથી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ ૧૯૭૮ માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને ૪૬ વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News