મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ


SHARE











મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી જુદાજુદા બે બનાવમાં બે સગીરાઓને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અપહરણનું જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને માળીયા મિયાણાના વર્ષામેડી ગામના અમરશી ચતુર રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ. વાળાએ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે તેવી જ રીતે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા સામે ફરિયાદ નોંધાવી છે જેથી પીઆઇ સહિતની ટીમે આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News