મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો


SHARE











મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો

આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા દર પુષ્યનક્ષત્ર પર આયુર્વેદિક રસીકરણ એટલે સુવર્ણપ્રાશન ટીપાનો વિનામૂલ્યે કેમ્પ યોજાય છે. જેમાં ગઈકાલે મોરબી કેમ્પમાં ૨૩૩૫ બાળકોએ લાભ લીધો હતો આ ટીપા પીધા બાદ દરેક બાળકોને લાકડાની એન્ટિક ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોમાં આયુર્વેદ પ્રત્યે રુચિ જાગૃત થાય અને આયુર્વેદને જાણે તે માટેની કોમ્પીટીશનનું પણ આયોજન થયું હતું. તેમાં પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર, ક્રિષ્નાબેન, અરુણાબેન, ભુપેન્દ્રભાઈ, રીતેશભાઈ, વિનોદભાઈએ સેવા આપી. તથા હિતેશભાઈ પટેલ, શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, તથા રાજભાઈ પરમારે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતી અને મોરબીની સાથે સાથે શનાળામાં ૫૫ બાળકોએ, ટંકારામાં ૪૨૫ બાળકોએ, લજાઈ ૮૭ બાળકોએ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીધા હતા આ કેમ્પમાં ગીતાબેન, ચંદ્રકાન્તભાઈએ સેવા આપી હતી






Latest News