તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મેન્ટેનન્સ કરનાર પિતા-પુત્રની જામીન અરજી નામંજુર


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે અને તે પૈકીનાં વધુ બે આરોપી દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં બંને પક્ષેથી દલીલ ગઇકાલે કરવામાં આવી હતી ત્યારબાદ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે બંનેની જામીન અરજીના નામંજૂર કરી શકે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે,  મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, પ્રકાશ લાલજીભાઈ પરમારની ધરપકડ કરીને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને છેલ્લે જયસુખભાઇ પટેલના પણ રિમાન્ડ પૂરા થતાં તેને પણ જેલ હવાલે કરવામાં આવેલ છે

જો કે, મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશ લાલજીભાઈ પરમારની જામીન માટે અરજી કરેલ હતી જેના માટે ગુરુવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને આરોપીના વકીલે કહ્યું હતું કે, આ ગુનામાં તેના અસિલનો કોઈ રોલ જ નથી તેવુ કહીને તેઓએ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલની સૂચન મુજબ કામ કર્યું છે તેવું કહ્યું હતું જો કે, સરકારી વકીલે કરેલી દલીલને કોર્ટે ધ્યાને લીધેલ છે અને અને મેન્ટેનન્સનું કામ કરનાર પિતા પુત્ર બંને આરોપીની જામીન અરજી માટે નામંજુર કરેલ છે






Latest News