મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી


SHARE











 

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી

મોરબી નજીકના લાલપર ગામ પાસે કારખાનામાં ટ્રક કન્ટેનર લઈને ટાઇલ્સ ભરવા માટે આવેલ ડ્રાઇવર કોઈ કારણોસર અકસ્માતે નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેની ડેડ બોડી કેનાલમાં તણાઈને મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી જતા મચ્છુ-૩ ડેમમાંથી તેની ડેડબોડી મળી આવી હતી ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતક યુવાનના ભાઈએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના બરેલી જિલ્લાના રીંછા ગામ ઈસ્માઈલનગર વોર્ડ નંબર-૯ ના રહેવાસી મુજમ્મીલ અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૫) નામનો યુવાન ટ્રક કન્ટેનર લઈને મોરબી આવ્યો હતો અને લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી તેના ટ્રક કન્ટેનરની અંદર ટાઇલ્સ ભરવાની હતી દરમિયાન તે કોઈ કારણોસર કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કેનાલમાં વહેતા પાણી સાથે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની ડેડ બોડી તણાઈને મોરબી નજીકના જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી ગઇ હતી જેથી યુવાનની લાશને ડેમમાંથી કાઢીને તેનો ભાઈ મોદસ્સિર અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૮) રહે. રીંછા ગામ બરેલી વાળો લઈને મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને તેને જ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક યુવાનના ભાઈ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મુન્દ્રાથી ખાલી કન્ટેનર લઈને તે મોરબીના લાલપર ગામ પાસે કેનાલના કાંઠે આવેલ સિરામિક કારખાનામાં કન્ટેનરમાં ટાઇલ્સનો જથ્થો ભરવા માટે આવ્યો હતો દરમિયાન આ બનાવ બન્યો છે જોકે તેનો ભાઈ કઈ રીતે કેનાલમાં પડ્યો અને અકસ્માતનો બનાવ બન્યો છે તેની કોઈ માહિતી તેની પાસે નથી.






Latest News