વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા


SHARE











રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે સાંસદના કમાન્ડોએ પોતાની સર્વિસ રિવોલ્વમાંથી પોતાના લમણે ગોળી ધરબીને આપઘાત કરી લીધેલ છે જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક કમાન્ડોએ લખેલી સુસાઇડ નોટને પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરા (૪૫) મૂળ રહે. મોટા દહીસરા માળીયા મિયાણાં વાળા સામાન્ય રીતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે જ રહેતા હોય છે જો કે, તેઓને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય બીમારીની સારવાર માટે તેઓને અગાઉ અમદાવાદ દાખલ પણ કરવામાં આવ્યા હતા જોકે, ફેફસાની બીમારી હોવાના કારણે તેઓએ બીમારીથી કંટાળીને પોતાના મોટા દહીસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી છે વધુમાં જાણવા મળતી પ્રમાણે અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જે સુસાઇડ નોટ હાલમાં માળિયા તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટમાં પણ તેઓએ આર્થિક રીતે સુખી સંપન્ન છે પરંતુ બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરે છે તેવું મૃતકે લખ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

#mohankundaariya #aapghat #srp #morbipolice #gujaratpolice #bjp #morbibjp #gujratabjp #harshsanghvi






Latest News