હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE











ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા યુવાને ગત મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને ગત મોડીરાત્રિના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને મોડી રાત્રે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ ગીરીશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતું અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સરદારબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસી રીપેરીંગના કામકાજ માટે રાખવામાં આવેલા મજૂરને કામ ન હોય કામ ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.તે વાતને લઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી તે બનાવવામાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આરીફ અબ્દુલ મંગલિયા જાતે સંધિ (૩૨) ધંધો એસી રીપેરીંગ રહે.લાલપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થવાથી અર્જુન સુરતભાઈ નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી ચોક પાસે રહેતા જયેશ રતિલાલ અદગામા જાતે કોળી નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલમાં કારખાનાઓ બંધ થઈ જતા કામધંધાના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News