મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને આ વર્ષે એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી પાસ થયા છે

આજે ધો.૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વર્ષો ૨૦૨૧-૨૨ માટે નોંધાયેલા ધો ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને જો વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ ઉપર નજર કરીએ તો આ વર્ષે એ-વન ગ્રેડમાં ૩૦૪, એ-ટુ ગ્રેડમાં ૧૨૨૬બી-વન ગ્રેડમાં ૧૭૭૦બી-ટુ ગ્રેડમાં ૨૧૨૮ વિદ્યાર્થી પાસ થયા છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં ધો ૧૦ ના પરિણામમાં વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લો સાતમાં કર્મે હતો જે ચાલુ વર્ષે બીજા ક્રમે પહોચી ગયો છે અને જો સ્કુલના પરિણામની વાત કરીએ તો ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ હોય તેવી ૧૩ શાળા અને ઝીરો પરિણામ વળી જીલ્લામાં આ વર્ષે એક શાળા છે મોરબી જીલ્લામાં અધ્યત્ન શાળાઓ મોરબીમાં આવેલ છે જો કે, ધો. ૧૦ ના પરિણામાં આ શાળાઓને પાછળ રાખીને ટંકારા અને વાંકાનેર તાલુકાનાં કેન્દ્રનું પરિણામ ખુબજ શરૂ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે સિંધાવદર ૮૪.૩૦ ટકા, વિજા ક્રમે પીપળીયા રાજ ૮૪.૧૭ અને ત્રીજા ક્રમે ટંકારા ૮૨.૧૨ ટકા સાથે આવેલ છે






Latest News