મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે માજી મંત્રીની હાજરીમાં લોકોની રજૂઆત સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે માજી મંત્રીની હાજરીમાં લોકોની રજૂઆત સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પ્રભુલાલ પનારા વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે આવ્યા હતા ત્યારે તેમનું ઢોલ નગારા સાથે ગામજનોએ અને વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુદા જુદા ગામોના સરપંચઓએ તેમના ગામોના પ્રશ્નોની સબળ રજૂઆત કરી હતી જે પ્રશ્નોના ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવાની ચીમનભાઈએ ભારતીય જનતા પક્ષ વતી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો અમુભાઈ ઠાકરાણી, ગાંડુભાઇ ધરજીયા, કાળુભાઈ કાંકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, કિશોરસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમરશીભાઈ મઢવી અને શૈલેષભાઈ ઠક્કર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિજ્ઞાસાબેન મેરે ચીમનભાઈ સાપરિયા અને પ્રભુલાલ પનારાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News