મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી


SHARE











મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી

તાજેતરમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર આવ્યું છે અને છેલ્લાં પાંચ વરસથી આ સ્કૂલનું સાયન્સનું પરિણામ ખૂબ જ સારું આવે છે. ત્યારે આ વર્ષે નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ ૮૯.૬૫ ટકા આવેલ છે અને ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

મોરબીમાં રિઝલ્ટના રાજા તરીકે નવયુગ સાયન્સ સ્કૂલ જાણીતી છે ત્યારે તાજેતરમાં જે ધો.૧૨ સાયન્સનું પરિણામ આવેલ છે તેમાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ અને કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૭ વિદ્યાર્થીઓએ પણ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટના રિઝલ્ટમા નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે અને કુલ સાત વિદ્યાર્થીઓ ૧૦૦થી વધુ માર્ક મેળવીને પાસ થયેલ છે અને ૨૧ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. જેથી કરીને સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News