મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી ગામે રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત


SHARE











વાંકાનેરના રાતીદેવડી ગામે રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતી મહિલાને રસોઈ બાબતે પતિ સાથે બોલાચાલી થયા બાદ તેને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી ત્યાં રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવી વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે આવેલ વલીભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બાબુભાઈ સીગાડાના પત્ની રેખાબેન (ઉંમર ૨૫) એ ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રસોઈ બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લાગી આવતા આ મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેક

ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા ભુપેન્દ્રભાઈ રતિભાઈ કુબાવત જાતે બાવાજી (ઉંમર ૪૮)ને તેઓના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેઓનુ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેની લાશને પી.એમ. માટે પડધરી હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News