વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

સિચાઈની કોઈ સુવિધા જ નથી ?: મોરબી તાલુકમાં માત્ર ચોમાસુ પાક જ લેતા અમરપર ગામના ખેડૂતો વરસાદ ખેચતા દયનીય સ્થિતિમાં


SHARE











સિચાઈની કોઈ સુવિધા જ નથી ?: મોરબી તાલુકમાં માત્ર ચોમાસુ પાક જ લેતા અમરપર ગામના ખેડૂતો વરસાદ ખેચતા દયનીય સ્થિતિમાં

મોરબી તાલુકાના અમરાપર અને તેની આસપાસના ગામમાં ખેડૂતો દ્વારા વરસાદ થયા બાદ વાવણી કરી નાખવામાં આવી હતી જો કેછેલ્લા ૧૫ દિવસથી વરસાદ થયો નથી જેથી કરીને વાવણી કરનારા ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે કેમ કેઆ વિસ્તારમાં સિચાઈ માટે આજની તારીખે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી પાક જ લેતા હોય છે ત્યારે જો વધુ વરસાદ પડે તો પણ ખેડૂતો હેરાન થઈ જાય છે અને જો વરસાદ ન પડે તો પણ તેઓના પાકને નુકશાન થતું હોય છે


મોરબી જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં વાવણી કરી નાખવામાં આવી હતી જો કેછેલ્લા એક પખવાડિયાથી આકાશમાથી  એક ટીપું પાણી વરસ્યું નથી ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે કેમ કેઅમરાપર ગામ અને તેની આજુબાજુમાં આવેલા ગામોમાં સિચાઈ માટે આજની તારીખે પણ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો ૧૨ માહિનામાં માત્ર ચોમાસુ એક જ પાક લઈ શકે છે તેવું અમરાપર ગામના ખેડૂત રાવભાઈ રામભાઇએ જણાવ્યુ છે

અમરાપર ગામના માજી સરપંચ બચુભાઇ ગરચર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કેમોરબી તાલુકાના અમરાપર ગામની આસપાસમાં કોઈ પણ ડેમ આવેલ નથી અને કોઈ કેનાલનો લાભ પણ અહીના ખેડૂતોને મળતો નથી ત્યારે સરકાર અને કુદરત બને સામે મહેનત કરતો ખેડૂત લાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં ખેડૂતોએ મોંઘાભાવના ખાતર અને બિયારણ લઈને તેના ખેતરા વાવણી ભગવાના ભરોસે કરી દીધી છે જો કેસમયસર જો સારો વરસાદ નહી પડે તો આજની તારીખે જે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે

અમરાપર ગામના ખેડુત પરેશભાઇ બાબુભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક કક્ષાએ સિચાઈ માટેના પાણીનો કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી મળે તેવી કોઈ આશા નથી અને પાણીના અભાવે અત્યારે જે વાવણી કરવામાં આવી છે તે પાક નિષ્ફળ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો આ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને બીજા પાકની વાવણી કરવા માટેનો સમય મળશે નહીં તે હકકીત છે

મોરબી તાલુકાનાં અમરાપર ગામના ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં તલકપાસમગફળીએરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે પાણી સિચાઈ માટે ન હોવાથી વાવણી કરીને બેઠેલા ખેડૂતો મેઘરાજાને બે હાથ જોડીને મન મૂકીને વરસી પાડવા માટે કરબદ્ધ પ્રાર્થના કરી રહ્યા છે તેવું ખેડૂત સુરેશભાઇ પટેલ કહી રહ્યા છે કેમ કેસ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ખેડૂતો ચોમાસુ પાક સિવાય બીજો કોઈ પણ પાક લઈ શકતા નથી અને જો ચોમાસુ પાક નિષ્ફળ તો આખું વર્ષ ફેઇલ જશે તે નિશ્ચિત છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News