તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ આગાઉ મતગણતરી કરવામાં આવી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ હતી માટે ૩૧ મતની ગણતરી હજુ થયેલ ન હતી જો કે, ચાર પિટિશન કરી હતી તેનો નિકાલ કરવામાં આવ્યો છે જેથી હાલમાં વાંકાનેર યાર્ડમાં વહીવટદાર મૂકવામાં આવેલ છે અને આગામી ૧૯ મી તારીખે જે ૩૧ મતોની ગણતરી કરવાની બાકી છે તેમાંથી ૧૮ મતનોને ગણવામાં આવશે અને બાકીના ૧૩ મતોની પિટિશન કોર્ટે રદ કરી છે માટે તેને ગણવામાં આવશે નહિ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગત જાન્યુઆરી માહિનામાં યોજાઇ હતી જો કે, જુદીજુદી મંડળીના મત માટે બંને પક્ષેથી પિટિશન કરવામાં આવી હતી જેથી કરીને ત્રણ મંડળીના ૩૧ મતને ગણવામાં આવ્યા ન હતા જેથી કરીને વાંકાનેર માર્કેટ યાર્ડના શાસકોએ વહીવટદાર ન મુકાય તે માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી જે પિટિશન સહિતની કુલ મળીને ચાર પિટિશન કરવામાં આવી હતી તેનો નિકાલ કરવામાં આવેલ છે અને હાઈકોર્ટમાં કરવામાં આવેલ પિટિશનમાંથી પલાસ મંડળીના ૧૮ મત ગણવામાં આવશે જો કે, પંચાસિયા ૧૦ અને તીથવા મંડળીના ૩ આમ કુલ મળીને ૧૩ મત માટે જે પિટિશન કરી હતી તેને રદ કરવામાં આવી છે અને આગામી તા ૧૯/૪ ના રોજ તે મતની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ વાંકાનેર યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો કે, હાલમાં વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદારને મૂકવામાં આવેલ છે






Latest News