મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે બેઠક યોજાઇ

મોરબીના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ ના ધો,૧૦ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી દક્ષાબેન અમૃતિયાએ પ્રસ્તાવના રજૂ કરી જેમાં વિદ્યાર્થીઓ સાથેના તેમના અનુભવો શેર કર્યા હતા તેમજ આ વિદ્યાલયએ પ્રકૃતિમાંથી ઉઠાવી સંસ્કૃતિ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે તેવી વાત કરી હતી. ત્યાર બાદ ડૉ વિજયભાઈ ગઢીયાએ ધો.૧૦ પછી શું તે અંગે ખૂબ સારી રીતે કારકિર્દી ઘડતર થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલકજી જયંતીભાઈ ભાડેશિઆએ ખૂબ હળવી શૈલીમાં ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી તેમજ વિદ્યાલયના મંત્રી જયંતીભાઈ રાજકોટીયાએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્રનું કાર્ય કરો અને જીવનમાં આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી હતી






Latest News