વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પુરવઠાના અધિકારીઓની આવડત કે બેદરકારીના લીધે લોકો હેરાન


SHARE











મોરબીમાં પુરવઠાના અધિકારીઓની આવડત કે બેદરકારીના લીધે લોકો હેરાન

મોરબીમાં પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય તેમ છે જેથી કરીને હાલમાં અન્ન નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર દ્વારા પુરવઠા વિભાગના નિયામકને અધિકારીઓની બેદરકારી મુદે રજૂઆત કરવામાં આવી છે અને લોકો પુરવઠાના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયેલ છે ત્યારે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

 મોરબીમાં રહેતા પુર્વ સલાહકાર અન્ન નાગરીક પુરવઠા પી.પી.જોષીએ હાલમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના નિયામકને મોરબી જીલ્લાનુ નાગરીક પુરવઠા તંત્ર ખાડે ગયું છે અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ હોવાની રજૂઆત કરવામાં આવી છે અને તેને જણાવ્યુ છે કે, શહેરમાં ઘણા સમયથી ધણી જ દુકાનો અન્ય દુકાનદારો પાસે ચાર્જમાં ચાલે છે છતા તેમનુ કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવતું નથી તે તપાસનો વિષય છે, મોરબી સીટી મામલતદાર ઓફીસ તાજેતરમાં ચાલુ કરેલ પરંતુ ત્યા આવક કે જાતીના અન્ય દાખલાની કામગીરી થતી નથી અને બે ઓપરેટર અને નાયબ મામલતદાર ઓફીસ ચલાવવામા આવે છે માટે લોકો હેરાન થાય છે, સસ્તા અનાજની દુકાનોમા પોટીબેલીટી એટલે સરકારે જાહેર કરેલ કે ત્યા ગમે તે દુકાનદાર પાસે રાશન મેળવી શકો પરંતુ આ નિયમનો ખુલેઆમ ભંગ થાય છે અને અધિકારીઓ કોઇ પગલા લેતા નથી

નિયામક અન્ન અને નાગરીક પુરવઠાએ તા. ૧૦.૦૨.૨૦૨૧ ના રોજ પરીપત્ર જાહેર કરેલ કે વધુ પડતા રાશન કાર્ડ હોયતો તેનુ વિભાજન કરવુ પણ છતા આજદિન સુધી તેનો અમલ થયેલ નથી . અને મોરબી સીટીમા અન્નપુર્ણા યોજના સરકારે જાહેર કરેલ જેના નિયમોનુસાર ફોર્મ ભરવાના હોય છે જે ચાર્જ ગરીબ માણસોએ છ મહીના થયા છતા આવી અરજીનો નિકાલ થયેલ નથી આવી એનએસએફની અરજીનો તાત્કાલીક નિકાલ કરવો જોઇએ જેથી ગરીબોને આ લાભ મળતો ચાલુ થાય છે અત્રે ઉલેખનીય  છે કે, ગુજરાતની ભાજપ સરકાર ગરીબો પાછળ કરોડો રુપિયા અનાજ પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીની અને આવડત કે બેદરકારી કે મીઠી નજર હોય તેવું સ્પષ્ટ જણાય છે જો આવુ ન હોય તો ચાર્જમાં રહેલી દુકાનો ના શા માટે જાહેરનામા બહાર પાડવામાં આવતા નથી ? આ વિસ્તારની પ્રજા પુરવઠાના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયેલ છે છતા અધિકારીના પેટનું પાણી હલતુ નથી માટે તમામ પ્રશ્નોને ઉકેલવા માટે માંગ કરી છે






Latest News