મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા


SHARE











મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ચોટીલાના રહેવાસી પરિવારના પાંચ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે ગઈકાલે છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને તેમાં બેઠેલા ચોટીલાના રહેવાસી પપ્પુભાઇ શાંતિભાઈ સલાટ, અમરશી જીવાભાઈ સલાટ, સુમિત્રા જગાભાઈ સલાટ, વિક્રમ પુનાભાઈ સલાટ અને આશા જગાભાઈ સલાટ (ઉમર ૨) નામના બાળકી સહીતના પાંચ લોકોને ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રંગપર (બેલા) ગામના રહેવાસી બળદેવસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉમર ૨૪) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા હનુમાન રોડ ઉપર સબ સ્ટેશન નજીક બે બાઇક અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બળદેવસિંહ ઝાલાને સારવારમાં ખસેડાયેલ છે.જ્યારે મોરબીના નવાગામ (લખધીરનગર) રહેતા મીનાબેન દિનેશભાઇ સોલંકી નામની ૨૯ વર્ષીય મહિલા ભૂલથી ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ નજીકના મફતપરા વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજ પિયુષભાઇ કુંવરિયા (૧૯) અને હિતેશ જેઠાભાઇ ટીડાણીયા (૪૩) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.તે રીતે જ સામેના પક્ષના મહંમદફરીદ હાસમભાઇ જેડા જાતે મિંયાણા (૨૫) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News