મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન


SHARE











મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન

મોરબી જીલ્લામાં અગાઉ બે પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની ગયેલ છે તો પણ આજ સુધી ફાયરની કોઈ સારી સુવિધા મોરબી જિલ્લા માટે હજુ સુધી કરવામાં આવી નથી તેવામાં મોરબીની આરટીઓ કચેરી પાસે અને  હરિપર ગામ પાસે આવેલ જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનેલ છે જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, કારખાનેદારોને કુલ મળીને નવ કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે

મોરબીના ગોર ખીજડિયા ગામ તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં રવિવારે રાતે કોઈ કારણોસર આગ લાગી હતી અને વેસ્ટ પેપરના જથ્થામાં આગ લગતા થોડી જ વારમાં આગ આખા સેડમાં ફેલાઈ ગયેલ હતી અને વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જે ઘટના સંદર્ભે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કારખાનેદાર વિજય ધરમશી મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાહેરાત કરી હતી કે, તેઓના યુનિટની અંદર વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી જવાથી આશરે ૨૦૦૦ ટન જેટલો પેપરનો જથ્થો નાશ પામ્યો હતો અને જેથી અંદાજે સાડા ચાર કરોડનું નુકશાન થયું છે

આવી જ રીતે જ થોડા દિવસો પહેલા એટલે કે, ગત તારીખ ૧૭/૩ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીની નવા સાદુળકા ગામે આવેલ એરીકોન પેપર મીલમાં આગ લાગી હતી જેની રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા કારખાનેદાર અર્જુન અરુણભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે કે, તેના યુનિટીની અંદર લાગેલી આગમાં કાચો માલનો આશરે ૧૫૦૦ ટન જથ્થો સળગી જતાં આશરે સાડા ચાર કરોડની નુકસાની થવા પામેલ છે જે અંગે જાણવા જોગ દાખલ કરીને બીટ જમાદાર એમ.એલ. બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News