મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે યુવાન ખેતરમાં દવાનો છટકાવ કરતો હતો ત્યારે પાણીની તરસ લાગતા ઝેરી દવા વાળા ડબલથી પાણી પી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઇ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા (૩૭) પોતાની વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરવાની કામગીરી કરતાં હતા ત્યારે તેને પાણીની તરસ લાગતા પાણી ઝેરી દવા વાળા ડબલથી પી ગયા હોવાના કારણે શક્તિસિંહ વાળાને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News