મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન


SHARE







મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન

મોરબીના શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટેન દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરીફ મિર સહિત ચાર આરોપીઓ નાસ્તા ફરે છે જેથી કરીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે

ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧)૩(૨)૩(૪) મુજબનો ગુજસીટોકનો ઉમેરો કરવામા આવેલ છે.

આ કેસની તપાસમાં કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમાથી ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. જો કે, આ ગુનામાં આરોપી આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબીમકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબીકાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી રહે. વજેપરમતવા વાસમોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઇનરોડદરગાહ પાસેમોરબી વાળા નાસ્તા ફરતા હોય કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે માટે ચારેય આરોપીઓને હાજર થવા સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા સી.આર.પી.સી કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.






Latest News