સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી


SHARE





મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી

ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે જેની અમલવારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં  ૩૪.૩૩ લાખની આવક થયેલ છે

મોરબી પાલિકા દ્વારા વ્યાજ માફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં જે આસામીઓના વેરા વર્ષોથી જમા કરવામાં આવેલ નથી તેના ઉપર ઘણું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકારે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે ત્યારે પાલિકાનું વર્ષો જૂનું માંગણું છૂટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગુરુવારે પહેલા દિવસે આ યોજનાનો લાભ લેનારા આસામીઓને કુલ મળીને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલમાં છે જેથી વધુમાં વધુ બાકીદારો દ્વારા તેનો લાભ લઈને બાકી વેરા જમા કરવવામાં આવે તેવી અપીલ મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે






Latest News