આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ


SHARE











મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળા યોજાયો છે જેમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, સરકારી યોજનાનો લોકોને સીધો લાભ આપવા માટે ગરીબ કલ્યાણ મેળા સરકાર દ્વારા કરવામાં આવે છે.

આજ રોજ ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય, કુંવરબાઇનું મામેરું, માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય તેમજ વિવિધ સાધન સહાય યોજના હેઠળ જિલ્લાના કુલ મળીને 2100 કરતાં વધુ લાભાર્થીઓને આજે 3.40 કરોડ રૂપિયાની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જે.બી.પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનું સ્વાગત કર્યુ હતુ આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ જે લોત કલ્યાણકારી યોજનાઓ છે આ તમામ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તેના માટે થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાના આયોજનની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો-કરોડો લોકોને કરોડો રૂપિયાની સરકારી જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે તેવી જ રીતે આજે પણ મોરબી જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ પરિવારો છે તેમને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ સરકારી સહાય અર્પણ કરવામાં આવી છે તેના થકી તેઓનું જીવન ધોરણ ઉંચુ આવશે અને તેઓ પણ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News