મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી
મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન
SHARE
મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન
મોરબી સતવારા નવગામ જ્ઞાતિમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ નવઘણભાઈ પરમારના સુપુત્ર ચિરંજીવી નયનકુમારના લગ્ન રવાપર નિવાસી કંઝારિયા નરસીભાઇ પ્રેમજીભાઈની સુપુત્રી ચી.જ્યોતિ સાથે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન યોજાયેલ, જે સમાજમાં સીમાચિન્હ રૂપ છે.આજે કોરોના અને મોંઘવારીને કારણે આવા સાદાઈથી લગ્ન યોજીને સમાજમાં એક નવો જ રાહ આ લગ્નથી ચિંધાઈ.જે આજના સમયમાં સમાજે અપનાવવા જેવો છે.સમાજમાં આજે લગ્નવિધિમાં દેખાદેખીથી બહુ મોટા ખર્ચ થઇ રહ્યા છે ત્યારે આવા સાદાઈથી ઘડિયા લગ્ન યોજાય તે યુગની સમાજની માગ છે.આ પ્રસંગે સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાએ નવદંપતી અને સમાજમાં આવો નવો ચીલો પાડનાર નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.