મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન

મોરબી સતવારા નવગામ જ્ઞાતિમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ નવઘણભાઈ પરમારના સુપુત્ર ચિરંજીવી નયનકુમારના લગ્ન રવાપર નિવાસી કંઝારિયા નરસીભાઇ પ્રેમજીભાઈની સુપુત્રી ચી.જ્યોતિ સાથે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન યોજાયેલ, જે સમાજમાં સીમાચિન્હ રૂપ છે.આજે કોરોના અને મોંઘવારીને કારણે આવા સાદાઈથી લગ્ન યોજીને સમાજમાં એક નવો જ રાહ આ લગ્નથી ચિંધાઈ.જે આજના સમયમાં સમાજે અપનાવવા જેવો છે.સમાજમાં આજે લગ્નવિધિમાં દેખાદેખીથી બહુ મોટા ખર્ચ થઇ રહ્યા છે ત્યારે આવા સાદાઈથી ઘડિયા લગ્ન યોજાય તે યુગની સમાજની માગ છે.આ પ્રસંગે સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાએ નવદંપતી અને સમાજમાં આવો નવો ચીલો પાડનાર નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News