જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ


SHARE











મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી જણાવેલ છેકે,મોરબી જીલ્લામાં ખુબજ ઉદ્યોગિક વિકાસ થયેલ છે.પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી.હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે.જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે.પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી.મોરબી રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ન થાય તે જોવા ટકોર કરી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડનું પણ તાત્કાલિક કામ ચાલુ કરાવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. 
 
તદ ઉપરાંત મોરબી જેતપર રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેશે અને તે મોટા ભાગનો ટ્રાફિક હળવદ રોડ પરથી આવતો હોય છે અને હળવદ રોડ તરફ જતો હોય છે.તો જો આ ટ્રાફિકને થોડો હળવો કરવા માટે બેલા-તળાવીયા શનાળા-નીચી માંડલને જોડતા રોડને ડબલ લેન કરીને મોટો અને મજબુત કરવામાં આવે તો આ ટ્રાફિક હળવો થાય તેમ છે.માટે બહોળા લોકોના હિતમાં માંગણી કરાયેલ છે કે આ રોડને તાત્કાલિક મંજુર કરીને બનાવવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે.આ રોડને તાત્કાલિક મંજુર કરીને નવો બનાવવાનું કામ ચાલું કારવામાં આવે તેવા આદેશો કરવા માંગ કરાયેલ છે.આમ કરવાથી એકી સાથે અનેક ફાયદાઓ થશે એક તો ટ્રાફિક પણ વહેંચાય જવાથી હળવો થશે અને લોકોના મોંઘાદાટ ભાવના પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે તેમજ સોનાથી પણ કિંમતી એવો લોકોનો સમય પણ બચશે.અકસ્માતો પણ ઘટશે અને મહામુલી માનવ જીંદગીઓની થતી જાન હાની ટાળી શકાશે.માટે આ બાબતે હકારાત્મક રીતે વિચારીને વહેલાસર યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કે.ડી.બાવરવા દ્રારા કરવામાં આવેલ છે.





Latest News