મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી


SHARE







મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી

'અપને આત્મબલ કો જગાનેવાલા, ખુદ કો પહેચાનને વાલા ઓર માનવ જાતિ કે કલ્યાણ કી સોચ રખને વાલા, પુરે વિશ્વ પર રાજ્ય કર શકતા હૈ, ભારતના બહાદુર શાસકોમાંના એક અને પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો.તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને પણ હંમેશા સાચો જ ન્યાય મળતો. તેથી જ તેમને હિન્દુઓના હૃદયસમ્રાટ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ શિવાજી જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે.શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ શિવાજી જયંતિની ઉજવણી કરી.આ બાળકોએ શિવાજીની વેશભૂષા ધારણ કરી તો કોઈએ તેમના વિશે પરિચય આપ્યો. આજના આ દિવસે હિંમત કરુણા અને સુશાસનના મૂર્તિમંત અને ભારત માતાના એક મહાન પુત્ર શિવાજી મહારાજના પરાક્રમોને યાદ કરીને બાળકોએ તેમને વંદર કર્યા હતા.






Latest News