વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન


SHARE











મોરબીના પાંચેય તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબીની દોશી એન્ડ ડાભી સ્કૂલ ખાતે રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીની હાજરીમાં મોરબી જિલ્લાના સરકારી શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનીંગ વર્કસોપનું આયોજન કરાયુ હતુ.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબીની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો માટે બે દિવસીય તાલીમ યોજવામાં આવી રહી છે.આ તાલીમનો લાભ સરકારી શાળાના શિક્ષકોને મળે તેમજ સરકારી શાળાના બાળકો સુધી આ પ્રોજેક્ટ પહોંચે તે હેતુસર મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં એક સાથે પાંચ વર્કશોપનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં તા.૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના મોરબી, હળવદ, ટંકારા ખાતે તેમજ તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના માળીયા અને વાકાનેર તાલુકામાં શીબીર યોજાશે.મોરબી તાલુકાની દોશી એન્ડ ડાભી સ્કૂલ ખાતે શીબીરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, જયરાજસિંહ જાડેજા(નગરપાલિકા ઉપપ્રમુખ), બી.એલ.ભાલોડિયા (AEI), પ્રમુખ અનિલભાઈ મેહતા, પ્રિન્સીપાલ વેકરીયા, તુષાર દફતરી, ડૉ.પ્રેયસ પંડ્યા(ક્લબ પ્રેસિડેન્ટ) વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.અત્રે નોંધનીય છે કે આવા બે દિવસના એક વર્કશોપ પાછળ લાયન્સ કલબના મેમ્બર્સ તન, મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે.ઉપરોક્ત વર્કશોપમાં બન્ને દિવસનો સમય સવારે ૯ થી સાંજના ૫ સુધીનો રહેશે જે માટે બપોરના જમવાની વ્યવ્શ્થા પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહી છે.આ ટ્રેનિંગ માટે ઇન્ટરનેશનલ ટ્રેનર એવા બરોડાથી રેખા શાહ મોરબીમાં, અમદાવાદથી પ્રીતિ ઝવેરી ટંકારામાં તેમજ અમદાવાદથી જ યોગેશ પોટા હળવદમાં સેવા આપી રહ્યા છે.

 






Latest News