વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિડા ગામે દિયાન પેપર મીલમાં આગ : કરોડોનું નુકશાન


SHARE











વાંકાનેરના રાતાવિડા ગામે દિયાન પેપર મીલમાં આગ : કરોડોનું નુકશાન

વેસ્ટ પેપર અને તૈયાર માલ તેમજ સેડ અને મશીનરી સહિતની વસ્તુઓ આગમાં બળીને ખાક

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મીલમાં આજે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાથી પેપર વેસ્ટ તેમજ તૈયાર માલ, શેડ અને મશીનરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે.આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા જો કે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હોવાથી મોરબી વાંકાનેર અને હળવદના ફાયરના વાહનોને સ્થળ ઉપર બોલાવીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર દિયાન પેપરમીલ આવેલ છે જેમાં સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું અને કારખાનાની અંદર ખુલ્લા સેડમાં પડેલ પેપર વેસ્ટમાં જથ્થામાં તેમજ તૈયાર માલમાં અને યુનિટના સેડ તેમજ મશીનરીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને વિકરાળ આગ લાગી ગઇ હતી જેથી કરીને કરોડોની નુકશાનીની સડભાવના સેવાઇ રહી છે.આગને કાબૂમાં લેવા માટે કારખાનાના સાધનોથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા જોકે આગ કાબુમાં નહીં આવતા ત્યારબાદ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હોવાથી આગને કાબૂમાં લેવા માટે થઈને વાંકાનેર અને હળવદથી પણ ફાયર વિભાગના વાહનો દોડાવવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી છે અને લગભગ બે કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ આગ કાબુમાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી જેમાં દિયાન પેપરમીલની અંદર મોટા પ્રમાણમાં વેસ્ટ પેપરનો જથ્થો તેમજ તૈયાર માલ સેડ અને મશીનરી પણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઇ ગયેલ છે અને તેઓના જણાવ્યા પ્રમાણે મોરબી ઉદ્યોગીકરણ નગરી હોવા છતાં પણ અહીંયા ફાયરના ટાંચા સાધનો હોવાના કારણે ઘણી વખત અકસ્માતના બનાવ બને છે ત્યારે ઉદ્યોગકારો સહિતના લોકોને મોટા પ્રમાણમાં નુકશાની સહન કરવી પડે છે. ત્યારે ઉદ્યોગ અને ઉદ્યોગકારોની સલામતી તેમજ ત્યાં કામ કરતા કામદારોની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયરનાં સાધનો અને નવુ ફાયર સ્ટેશન મોરબીની આસપાસમાં બનાવવામાં આવે તેવી પણ તેઓએ લાગણી અને માંગણી વ્યક્ત કરેલ છે અને ભવિષ્યમાં આ મુદ્દે તેઓના એસોસિએશન દ્વારા સરકાર સુધી રજૂઆતો કરવામાં આવશે તેવી પણ તેઓએ આ તકે વાત કરેલ છે.






Latest News