મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા


SHARE











કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા

ભા૨ત સ૨કા૨નુ બજેટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે આ બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક છે અને લધુતમ ટેકાના ભાવની ગેરંટી અંગે કોઈ સરકારે કોઈ જાહેરાત કરી નથી અને કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો કર્યો હતો જો કે, તે પોકળ સાબિત થયેલ છે તેવું વાંકાનેર યાર્ડના ચેરમેન શકીલએહમદ કે. પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણીએ જણાવ્યુ છે

વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન અને વાઈસ ચેરમેનએ કહ્યું છે છે કે, ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨–૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ૩ કૃષિ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમા કોઈ જાહેરાત થઈ નથી સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ-નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડોના વિકાસ માટે પણ કોઈ વિશેસ જાહેરાત કરાઈ નથી

ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામા આવી નથી અને આ દાવો પોકળ સાબીત થયો છે ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમા ઘટાડો થયો છે ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામા આવી નથી . ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે






Latest News