ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત


SHARE











હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અજિતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા કેનાલમાં આજે સવારે એક કાર ખાબકી હતી અને આ કારમાં બેઠેલ નવદંપતિનું પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તરવૈયાઓની મદદથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

હળવદના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર જાતે આહીર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે અજીતગઢ ગામેથી આઈ ટ્વેન્ટી કારમાં માળીયા તરફ જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકી ગામના નાલા પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાંચની કેનાલમાં તેની કાર ખાબકી હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા લોકોએ કેનાલમાં પડેલી કાર સાથે કેનાલમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને પહેલા મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં રાહુલભાઈના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં મેઘપર ગામે
સગાઇના પ્રસંગમાં જવા  માટે દંપતિ તેના ઘરેથી કાર લઈને નિકળ્યું હતું અને રસ્તામાં કાર કેનાલમાં પડવાથી બંનેના મોત નિપજ્યાં છે જેથી કરીને આહીર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા






Latest News