ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી ખેડૂતો, ઉદ્યોગકારો અને આમ નાગરિકોને નાના મોટી નુકશાની થયેલ છે જેથી કરીને સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવીને તેઓને સહાય પેટે વળતર આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં તા. 19/3/26 ના રોજ વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેથી કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે. અને ખેડૂતો ના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. ખાસ કરીને બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકમાં મોટા પાયે નુકશાન થયેલ છે. તેવી જ રીતે ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. અને એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. તે ઉરપાંત મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગમાં શેડના છાપરા ઊડી ગયા હતા અને  માલને પણ નુકશાન થયેલ છે. તથા સોલર પેનલનો પણ નાશ થયો છે. આટલુ જ નહીં શ્રમજીવી અને ગરીબ પરિવારોના કાચા મકાનના છાપરા ઊડ્યા હતા અને તેઓને પણ નુકશાન થયેલ છે. અને લોકોને વીજ બિલની બચત માટે ઘર ઉપર લગાવેલ સોલાર પેનલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. આમ નાના મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકશાન થયું છે જેથી લોકો હેરાન પરેશાન છે.  ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને થયેલ નુકશાન સામે લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News