ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE







હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદના વેગડમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય ખેતમજૂર રણજીત તડવીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રણજીત રાજુભાઈ તડવી (ઉંમર વર્ષ 35, રહે. વેગડવાવ ગામ, તાલુકો હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતે હાલ જ્યાં રહે છે ત્યાં હળવદના વેગડ ગામે શંકરભાઈ રાઠોડ ની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં મોટો હતો તેઓ મૂળ છુટા ઉદયપુરના ક્વાંટ પંથકના વતની હતા અહીં પરિવાર ખેત મજૂરી કરે છે. રણજીતએ કયા કારણોસર ઝેરી દવા પીધી તેની જાણકારી સ્પષ્ટ ન થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.






Latest News