મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ


SHARE







મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ

 મોરબી સહિત ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે વાત કરીએ તો ગુજરાતનાં કેટલાક મંત્રી, ભાજપના અનેક હોદ્દેદારો તેમજ અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવે છે દરમિયાન આજે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોના લક્ષણો જણાતા તેને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવે છે જેથી કરીને તે હાલમાં જોમ કોરેંટાઇન થયેલા છે અને છેલ્લા દિવસોમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવા માટે અપીલ કરી છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ આવી રહી છે અને દર્દીઓની સારવાર પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે છે જો કે, કેસ સતત વધી રહી હોવાથી આરોગ્ય વિભાગ અને અન્ય લોકોની પણ ચિંતા વધી રહી છે તેવામાં આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવેલ છે અને બ્રિજેશભાઈ મેરજાને કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેંટાઈન થયેલ છે તેઓએ પોતે સોસયલ મીડિયાના માધ્યમથી તે કોરોના પોઝિટિવ આવેલ છે તેની જાણ કરી છે અને તેના સંપર્કમાં છેલ્લા દિવસોમાં આવેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ સરકારી જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને જો કોરોનાના લક્ષણો જણાતા હોય તો તેઓએ પણ વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે અને ખાસ કરીને હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દરેક લોકોને તકેદારી રાખવા માટે પણ તેઓઅનુરોધ કર્યો છે 






Latest News