વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
SHARE
વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
આંણદપર નવાગામથી પસાર થતી નદી ઉપર આવેલ પુલ આશરે 100 વર્ષ જુનો હતો. અને એકદમ સાકડો હોવાનાં કારણે લોકોને અવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ત્યારે આ પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી.તે પુલનું 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઇ મકવાણા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી નીતાબેન સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ જાપડીયા, તાલુકા પંચાયત સદસ્ય વીક્રમભાઈ હુંબલ, આંણદપર નવાગામ સરપંચ લાલજીભાઈ સોલંકી, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, જસ્મીનભાઈ પીપળીયા, ધીરૂભાઈ હાંડા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.