મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં મકરસંક્રાતિએ સલામતી રાખવા પીજીવીસીએલની અપીલ


SHARE











મોરબીમાં મકરસંક્રાતિસલામતી રાખવા પીજીવીસીએલની અપીલ

મોરબી શહેર અને જીલ્લામાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવા માટે સહુ કોઈ થનગની રહયા છે ત્યારે આ પર્વની સલામતી પૂર્વક ઉજવણી થાય તે જરૂરી છે તેમજ પતંગ ઉડાડતી વખતે કોઈ જાનહાનિ ન થાય તે માટે મોરબી પીજીવીસીએલ દ્વારા સલામતી સાથે પતંગ ઉડાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને સાથોસાથ વીજ તારથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

મોરબી પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યુ છે કે, પતંગનો માંજો બવાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવા તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો દ્વારા ન વાપરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ અને બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહીં, પતંગને વીજ થાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખવી જોઈએ અને પતંગ ઉડાડતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડે તો બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાશી ઉપર પતંગ ઉડાડતી વખતે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખવા માટે અપીલ કરેલ છે અને વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બાંબુ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે, ચાઈનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન અને રાત્રીના અંધારામાં ફાનસ કે ગુબારો વીજવાયરોમાં ન ફસાય તેની પણ કાળજી રાખીને પર્વની ઉજવણી કરવા માટે અનુરોધ કરેલ છે 






Latest News