મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો


SHARE











પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો

આજથી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી વેક્સિન આપવાનું કહેવામા આવ્યું છે જેથી કરીને હાલમાં આરોગ્યની ટિમ સ્કૂલમાં વાલીઓના સંમતિપત્રો આવે તેની રાહ જોઈને બેઠી છે

મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં નનૈયો કરેલ છે જેથી કરીને હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી નથી આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્ર આવે પછી વેક્સિન આપવાનો હાલમાં શાળાના  સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવી રહ્યો છે જેથી હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન દેવામાં આવી નથી અને આ અંગેની મોરબી જિલ્લાના શિક્ષણાધિકારીને પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે 






Latest News